Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન ઇશાકભાઇ મુલતાની ઉંમર ૪૮ પ્રેશર અને થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી. ગતરોજ આ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે પ્રેશરની દવાના બદલે ભૂલથી મહિલાએ માથાના વાળની જુ મારવાની દવા પી લીધી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે માડવીના તડકેશ્વરની શીફા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના પુત્ર સિરાજ મુલતાનીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા સેવારૂરલના પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈનું એસબીઆઇ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

ProudOfGujarat

વડોદરા : ધનપુરી પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્રમા ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા અપાતા ૭૬ હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!