Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન ઇશાકભાઇ મુલતાની ઉંમર ૪૮ પ્રેશર અને થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી. ગતરોજ આ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે પ્રેશરની દવાના બદલે ભૂલથી મહિલાએ માથાના વાળની જુ મારવાની દવા પી લીધી હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે માડવીના તડકેશ્વરની શીફા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હતું. આ ઘટનાના સંદર્ભમાં મરણ જનારના પુત્ર સિરાજ મુલતાનીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ જાહેર : જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે

ProudOfGujarat

ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ‌ગુમાનદેવની પ્રાથમિક શાળાને દત્તક લઇ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!