Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરાયું.

Share

શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરીત ધર્મ જાગરણ સમન્વય દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ગણપતિની 25 જેટલી મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે ગણેશજીની બે થી ચાર ફૂટની મૂર્તિ રાખવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના ધર્મ જાગરણ વિભાગ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જન જાગૃતિ રક્ષા મંચ પ્રદેશ ઉપપ્રમુખ ભગુભાઈ ચૌધરી સુરત જિલ્લા ધર્મ જાગરણ સહ પ્રમુખ ધર્મેશ વસાવા, માંગરોળ તાલુકા કાર્યવાહક જગદીશ પટેલ યુવરાજસિંહ સોનારીયા ગ્રામજનો સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!