Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીના હસ્તકે ૪૦ જેટલા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશથી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. પ્રાર્થનાં બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઝંખવાવ ગામની અલગ અલગ આંગણવાડીઓનાં કુલ ૪૦ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતાં. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ગામીત, ભાજપનાં અગ્રણી શાંતિલાભાઈ વસાવા, સમીરભાઈ કડીવાલા, જીગ્નેશભાઈ નાઈ, સિડીપીઓ શાંતાબેન ચૌધરી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરીયા વાંકલ


Share

Related posts

નડિયાદની હરિપાક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો દાગીના લઈ ફરાર

ProudOfGujarat

ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!