Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

Share

માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામે ગત રાત્રિ દરમિયાન દીપડાએ બે વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેગડીયા ગામના ખેડૂત પશુપાલક ઐલેશભાઇ બચુભાઈ ગામીત ખેતરમાં ઘર બનાવીને રહે છે ગત રાત્રિ દરમિયાન તેઓના ખેતરમાં દીપડો આવ્યો હતો અને ઘર નજીકના કોઢારામાં બાંધેલા બે વાછરડાનો શિકાર કર્યો હતો એક વાછરડો સ્થળ પર મૃત હાલતમાં હતો જ્યારે બીજા નાના વાછરડાને દીપડો લઈ ગયો હતો. ખેડૂત પશુપાલકે ઘટનાની જાણ સવારે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લેવામાં આવ્યો હતો અને મૃત વાછરડાનું પી.એમ કરાવી ખેડૂતને નુકસાનીનું વળતર મળે તે અંગેની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે. દીપડાના હુમલાથી ગામના ખેડૂત પશુપાલકોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે વનવિભાગ દિપડાને પાંજરે પુરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના હલદર ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ષસ્થાને ગ્રાસસભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!