Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

Share

માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામે ગત રાત્રિ દરમિયાન દીપડાએ બે વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેગડીયા ગામના ખેડૂત પશુપાલક ઐલેશભાઇ બચુભાઈ ગામીત ખેતરમાં ઘર બનાવીને રહે છે ગત રાત્રિ દરમિયાન તેઓના ખેતરમાં દીપડો આવ્યો હતો અને ઘર નજીકના કોઢારામાં બાંધેલા બે વાછરડાનો શિકાર કર્યો હતો એક વાછરડો સ્થળ પર મૃત હાલતમાં હતો જ્યારે બીજા નાના વાછરડાને દીપડો લઈ ગયો હતો. ખેડૂત પશુપાલકે ઘટનાની જાણ સવારે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લેવામાં આવ્યો હતો અને મૃત વાછરડાનું પી.એમ કરાવી ખેડૂતને નુકસાનીનું વળતર મળે તે અંગેની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે. દીપડાના હુમલાથી ગામના ખેડૂત પશુપાલકોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે વનવિભાગ દિપડાને પાંજરે પુરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

રૂપાણી સરકાર માસ્કના દંડ મુદ્દે લેશે મોટો નિર્ણય : સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત.

ProudOfGujarat

રાજપીપળા : આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બને તેવા એંધાણ : સરકારે માંગણીઓ નહીં સ્વીકારતા આગામી આંદોલન માટે રણનીતિ ઘડાશે.

ProudOfGujarat

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!