Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

પાનેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ બંને ગામનાં શિવ મંદિરોમાં રાજા રજવાડા દર્શન કરવા માટે આવતા હતા એવી વાત લોકમુખે ચર્ચાય છે. શિવ મંદિરો ભમભમ ભોલે અને ઓમ નમ: શિવાયનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રી નિમિતે ભાવિક ભક્તોએ ઘી નાં કમળનાં દર્શન કર્યા હતા. બીલીપત્ર, દૂધ, જળ ચડાવીને ઓમ નમ: શિવાયનાં જાપ કરી આરાધના કરવામાં આવી હતી.

માંગરોળ તાલુકાનાં વાંકલ ભૂખી નદીના કિનારે આવેલ અતિપૌરાણિક પાનેશ્વર મહાદેવમંદિર, અંબાજી માતાજીનાં પટાંગણમાં આવેલ રામેશ્વરમહાદેવ, ગુપ્તેશ્વર અતિ પૌરાણિક મંદિર આવેલું છે. માંડળ ગામે સાંજે 6.00 કલાકે આરતી, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાકુઈ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે સવારે મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના તવરા ગામે બાલ્કની માથી પટકાતા મોત..

ProudOfGujarat

રાજકોટમાં પૈસા વહેંચણીના CCTV બાદ કાર્યવાહી, મહિલા સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

ProudOfGujarat

ભરૂચ:વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, 2 કિલો 415 ગ્રામ ગાંજા નો જથ્થો સહિત કાર જપ્ત, જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!