Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે અંબાજી મંદિરનાં પટાંગણમાં રંગ અવધૂત મંદિરમાં પાદુકા પૂજનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજન મુકુંદભાઈ ખેંગાર પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.

સોમવતી અમાસે દેવાધિદેવ મહાદેવની કૃપા પામવાનો અવસરઅને સૂર્યગ્રહણ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ હોય ત્યારે રામેશ્વર મહાદેવ વાંકલ અને પાનેશ્વર મહાદેવ (પાનેશ્વર ફળિયું ) મંદિરે મહાદેવને રિઝવવા પરિણીત મહિલાઓ દ્વારા પીપળાના વૃક્ષની દૂધ, જળ, ફૂલ અને ચંદનથી પૂજા કરી વૃક્ષની ચારે બાજુ સુતરનો દોરો લપેટીને પરિક્રમાં કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પુરાણોમાં વણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ શુભ માનવામાં આવે છે.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી ખાતે આમ આદમી પાર્ટીની ખાસ મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારતી પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર- ગૌમાંસના કેસમાં સંકળાયેલા વધુ ચાર જેટલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!