Proud of Gujarat
FeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.

Share

માંગરોળ તાલુકાના વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. શહેરી વિસ્તારો જેવા કે સુરત, વડોદરા, અમદાવાદ શહેરોમાં કેસ નોંધાયેલા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો ન હતો.ગ્રામ્ય વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો. આ કેસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય વિભાગ અંદરના વસરાવી ગામે નોંધાયો છે. વસરાવી ગામનો એક પેસેન્જર પૂનામાંથી સાઉદીથી પુનઃ વસરાવી આવ્યો હતો. કોરોના વાયરસ પોઝિટિવ આવતા તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા 12 જેટલાં વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર માંગરોળ આરોગ્ય ખાતું નજર રાખી રહ્યું છે. આ અંગેની માહિતી માંગરોળ ટી.એચ.ઓ.ડો . શાન્તા કુમારીએ આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ બાર એસોસિએશનમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડના ધોબી તળાવ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં જીવાતવાળું અનાજ આપતા ગ્રાહક મામલતદાર કચેરીએ પહોંચ્યો.

ProudOfGujarat

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!