Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને (3) કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના આરીફ મુલ્લા, મહેન્દ્રભાઈ તેમજ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ: દયાદરા રેલવે ફાટક ખાતે 100 ફૂટ લાંબી ટ્રક ફસાઇ, સર્જાયો ટ્રાફિક જાણો પછી શું થયું..!!!

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી : રાજપીપળા સિવિલમાં આ લોકોની મુશ્કેલી કોઈ જોનાર જ નથી ???!

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં આવેલી જમાદાર ફર્નિચરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!