Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સાબરિયા ગામના સુરેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

Share

સાબરીયા ગામે સુરેશ્વર મહાદેવ મંદિરે મહંત અને ઉદાસીન અખાડાના સાધુ હરદેવ મુનિ મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે સંત મિલાપ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તો દેવદર્શન અને ગુરુ દર્શન માટે ઉમટી પડ્યા હતા. માંગરોળ ઉમરપાડા અને વાલીયા તાલુકાના ભાવિક ભક્તોએ દર્શન કરી મહંતના આશીર્વાદ લીધા હતા. રૂધા ગામના ભગુભાઈ ચૌધરી, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા, વાંકલના નારણભાઈ પટેલ, અમિતભાઈ પટેલ ઝંખવાવના નિલેશભાઈ ખત્રી, મહેશભાઈ ખત્રી, દિલીપભાઈ ગામિત સહિતના ભક્તોએ ધાર્મિક પર્વનો લાભ લઈ ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

વિશ્વ સિંહ દિવસ : અત્યારે ગીરમાં સિંહોની વસ્તી 674, બે વર્ષમાં જાણો કેટલા સિંહોના થયા મોત.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC સ્થિત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આધાર-પુરાવા વગરની શંકાસ્પદ 440 નંગ યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રૂ .૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ ભવનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!