Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના જરાવત કેનાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Share

મહેમદાવાદ પાસે કેનાલ નજીક બે મોટરસાયકલ અથડાતાં એક મોટરસાયકલ ચાલકનું મોત થયું છે. જ્યારે ૩ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામે રહેતા બાદલભાઈ લખાભાઇ ગોહેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ગઈકાલે નોકરીએ ગયા બાદ આ બાદલભાઈ નોકરીએથી પરત ન આવતા પરિવારજનોએ ફોન કરતા બાદલભાઈને અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. બાદલભાઈના મોટરસાયકલને મહેમદાવાદના જરાવત કેનાલ નજીક સામેથી ત્રીપલ સવારી આવતા મોટર સાયકલે ટક્કર મારી હતી. જેથી આ બંને મોટર સાયકલો અને તેના ચાલકો રોડ ઉપર પટકાતા તમામને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બાદલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાદલભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના નાનાભાઈની ફરીયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

ProudOfGujarat

સુરતમાં સચિન નજીકના વાંઝ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટારૂઓ રૂ.13 લાખથી વધુની લૂંટ કરી ફરાર

ProudOfGujarat

ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની જળ સપાટી 110.51 મીટરે,ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!