Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશના શાજાપુરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત, 15 ઘાયલ

Share

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આજે સવારે લગભગ 4:00 વાગ્યે મક્સી અને કાયથા વચ્ચે પેસેન્જર બસ અને ટ્રોલી વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ શાજાપુર મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ઉજ્જૈન રીફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ તરફ જઈ રહેલી પેસેન્જર બસ ટ્રોલી સાથે અથડાઈ હતી. સ્લીપર કોચ બસમાં સૂઈ રહેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જે મૃતકોમાં જેમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે. અકસ્માતની માહિતી મળતા જ મક્સી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે ઉજ્જૈન મોકલવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી અકસ્માતના કારણની માહિતી નથી આપી.

Advertisement

મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. પેસેન્જર બસો તેમની ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. થોડા દિવસો પહેલા ખરગોનમાં પણ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો.


Share

Related posts

સુરત : ધો-4 થી ધો-9 સુધીનાં નકલી સર્ટિફિકેટ બતાવી બેલદાર બનનાર પોલીસપુત્ર સહિત 4 ની લાલગેટ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

ProudOfGujarat

ભરૂચ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!