Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

Share

મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. દસંગામાં પુલ પરથી બસ નીચે પડી હતી. બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હતા. તે જ સમયે, આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળો પહોંચ્યો હતો, ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં કેટલાક મુસાફરોના મોતના અહેવાલ પણ સામે આવ્યા છે.

ડોક્ટરોએ 15 લોકોને મૃત જાહેર કર્યા છે જ્યારે 25 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ખરગોનના પોલીસના SP ધરમવીર સિંહનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. તેણે જણાવ્યું કે ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

Advertisement

મધ્યપ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 50 હજાર અને અન્ય ઘાયલોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીનાં બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૦,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા પોલિટેકનિક કોલેજ ખાતે કૃષિ કાયદાને લગતો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!