Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું

Share

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ખેડા જિલ્લામાં ૦૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળામાં છતને નુકશાન થયું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને  જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ અગમચેતીના પગલાં રૂપે શાળાઓમાં રજા જાહેર કરેલ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નુકસાન પામેલ તમામ શાળાઓનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ તથા અંદાજિત ખર્ચ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાની ખેડા જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.  તા. ૧૯ જુન ૨૦૨૩ને સોમવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણમાં કાર્ય શરૂ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત.

ProudOfGujarat

ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ પ્લાન U.D.P.P શરૂ કર્યું.

ProudOfGujarat

તેજસ્વિન શંકરે કૉમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, હાર્ઇ જંપમાં દેશને અપાવ્યો પ્રથમ મેડલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!