Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ખીણમાં કાર ખાબકતા 7 નાં મોત

Share

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે થયેલા એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધનદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

અકસ્માતની પુષ્ટિ કરતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, હમણાં જ ડીસી કિશ્તવાર ડૉ. દેવાંશ યાદવ સાથે ધનદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજકોટની ગોઝારી ઘટના બાદ ભરૂચ ફાયર તંત્ર સફાળું જાગ્યું, સરકારની સૂચના અન્વયે ફાયર સેફટી નું નિરીક્ષણ કરાયું

ProudOfGujarat

સુરતમાં BRTS ના અલાયદા રૂટની રેલીંગ સાથે આજરોજ અડાજણ બસ ડેપોની એક એસ.ટી. બસ ધડાકા ભેર અથડાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!