Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાનાં ચોરંદા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલાઓમાં એકની રિવોલ્વરમાંથી ગોળી છુટતા એકનું મોત…

Share

ભરૂચ તાલુકાના જંગાર ગામે રહેતા આસિફભાઇ જંગારીયાવાલા ગામના અન્ય મિત્રો સાથે ખેતરોમાં જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયા હોવાના પ્રકરણમાં આસિફભાઇને છાતીના ભાગે ગોળી વાગેલી અવસ્થામાં ઘરે લાવતા તેઓને સારવાર મળે તે પહેલા મોત નિપજતા પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પી.એમ કરાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર આસિફભાઇ જંગારીયાવાલા ગત મોડી રાત્રિએ નવ વાગ્યાના અરસામાં કેટલાક મિત્રો સાથે ખેતરોમાં ખેતીને નુકસાન કરનારા જંગલી પ્રાણીઓના શિકાર અર્થે ગયા હતા ત્યારબાદ જંગલી પ્રાણીઓના શિકાર કરતી વેળા બંદૂકમાંથી ગોળી છૂટી આસિફભાઇની છાતીની આરપાર થઈ જતાં તેઓ સ્થળ ઉપર ઢળી પડ્યા હતા અને ગંભીર અવસ્થામાં લોહીલુહાણ અવસ્થામાં તેઓને તેઓના ઘરે લઇ ગયા હતા અને તેઓ તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડતા તેનું ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પી.એમ કરાવી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Advertisement

જોકે આસિફભાઇ જંગારીયાવાલાને ગોળી વાગી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેવી અનેક શંકા કુશંકા ઉભી થતા પોલીસે પણ મૃતદેહનું પેનલ પી.એમ કરાવ્યું છે અને તેની સાથે રહેલા કેટલાક લોકો ફરાર હોય અને તેમના મોબાઈલ સ્વીચ ઓફ હોવાના પગલે સમગ્ર ઘટનાનું રહસ્ય હજુ અકબંધ છે પરંતુ પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.


Share

Related posts

અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ-કોચીમાં ખરાબ વાતાવરણના કારણે લેવાયો નિર્ણય…..

ProudOfGujarat

SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા અમદાવાદ ખાતે ભરતભાઈ ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!