Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢ: અસમાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર: જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

Share

જૂનાગઢમાં અસામાજીત તત્વોનાં ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.

જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. અસમાજિક તત્વો દ્વારા વેપારીઓની દુકાનમાં આવી સામાનની ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવતા નથી. જો કોઈ વેપારી પૈસા માંગે તો છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને વેપારીઓને ધમકાવવામં આવે છે.

Advertisement

ત્યારે આ મામલે શુક્રવારે વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી આવ્યા હતા તેમજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરમાં લોકસભા ની ચૂંટણી અર્થે આગામી કાર્યક્રમો માટે ની ભાજપ ની બેઠક યોજાય…

ProudOfGujarat

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

ProudOfGujarat

ગોધરા : શૈલેષભાઈ ઠાકરની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!