Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

Share

જંબુસર તાલુકાનાં નોંધણા ગામે એક હોનારત સર્જાય હતી જેમાં મકાન ધરાશાયી થતા બે બાળકીઓનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે વિગતે જોતાં અર્જુનસિંહ છત્રસિંહ પરમારનાં મકાન પર બીજા ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરનાં કાટમાળ નીચે બે બાળકીઓ દબાઇ જતાં તેમના મોત નીપજયાં હતા. અર્જુનભાઈની બે દીકરી હિના ઉં.13 તથા વૈશાલી ઉં.12 નું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. અર્જુનભાઈને કુલ 3 દીકરીઓ પૈકી એક દીકરીને બચાવી લેવામાં આવી હતી. આ બનાવ વહેલી સવારે બનતા મોટો અવાજ આવતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડી એક દીકરીને બચાવી લેવાય હતી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જંબુસર રેફરલ હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

હાર્દિક પટેલ જેલમાં બંધ કાર્યકરોને મળવા માટે સુરત ખાતે આવી પહોંચ્યા અને જેલ તથા કોર્ટની મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચ : માછીમારી સમાજ દ્વારા વિવિધ માંગો સાથે લોક અધિકાર યાત્રા યોજી કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!