Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.

Share

જંબુસર તાલુકાનાં ૫૧૫ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે ભરૂચથી ટ્રેન ઉપડનારી હોય જંબુસર એસ.ટી ડેપોથી ભરૂચ જવા મામલતદારની ઉપસ્થિતિમાં રવાના કર્યા છે. હાલ કોરોના વાયરસની મહામારીમાં લોક ડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉનને ૫૮ મો દિવસ હોય તાલુકાની કંપનીઓમાં છૂટક મહેનત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતીય શ્રમિકોની લોકડાઉનને કારણે રોજી રોટી છીનવાઈ ગયેલી જેને લઇ પોતાના માદરે વતન જવા અધિરા બન્યા હતા અને રાજ્ય સરકારના આદેશ અનુસાર તાલુકામાં રહેતા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોની યાદી મામલતદાર જંબુસર દ્વારા તૈયાર કરવામાં આવેલ કલેક્ટર ભરૂચની સૂચના અનુસાર અને મામલતદાર જંબુસર બીએ રોહિતની નિગરાની હેઠળ અત્યાર સુધી ૧૫૦૦ જેટલા શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા છે. આજરોજ જંબુસર એસ.ટી ડેપો ખાતેથી ૫૧૫ જેટલા શ્રમિકોને લઇ બસ ભરૂચ રવાના કરી હતી વતન જતા શ્રમિકોના મોઢા પર ખુશી છલકાતી હતી. શ્રમિકો વતન જતા હોય મામલતદાર જંબુસર દ્વારા ફૂડ પેકેટ તથા પાણીની બોટલોની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. શ્રમિકોને વતન રવાના સમયે નાયબ મામલતદાર કમલેશભાઈ પટેલ નાયબ મામલતદાર પુરવઠા મનહરભાઈ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

તાજેતરમાં નજીવી બાબતે હાંસોટમાં થયેલ મર્ડરના આરોપીને હાંસોટ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં બાળકના અપહરણ થવાના બનાવમાં ફરીયાદી માતાએ જ તેના બાળકની હત્યા કરતાં માતાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ભરૂચ વાગરા રોડ પર મારુતિ વાન પલ્ટી મારતા ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!