Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

Share

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસેથી વી ઇ સી એલ કેનાલ પસાર થાય છે જેમાં વડોદરાની કેમીકલ કંપનીઓના પ્રદુષિત પાણી વહે છે જે માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકર્તા છે.

પિલુદ્રા ગામનાં કહાનવા રોડ કેનાલ ચોકડી ગોકુળી વિસ્તારની આજુબાજુના ખેતરના ખેડૂતો ઘરવપરાશ તથા ખેતીના ઉપયોગ માટે પાણીનો બોર બનાવતા હોય છે પરંતુ તે બોરના પાણી લાલ કલરના નિકળતા આ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણી કે ઘરવપરાશ ખેતીના કામે ઉપયોગમાં લઈ શકાતા નથી. જે અંગે ગ્રામજનોએ ૨૦૧૭ થી ગામમાં લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે છતાંય આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાલ પાણીને લઇ ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે તો ધરતીપુત્રો અને પીલુદ્રા સરપંચ બળવંતભાઇ રાઠોડ દ્વારા લાલ પાણીનાં પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી તંત્રને વિનંતી કરવામાં આવી છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે પ્રવાસીઓ માટે આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયેલો સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી:- ગોધરા શહેરમાં જિલ્લા કલેક્ટરે દિવ્યાંગોની જનજાગૃતિ રેલીનું કરાવ્યું પ્રસ્થાન ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ (કાર્ડિયાક એમ્બ્યુલન્સ) નું દાન મળેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!