Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

Share

હાલમાં ગુજરાતમાં દિવસે દિવસે કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહેલ હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કાવી કંબોઈ ખાતેનું સ્તંભેશ્વર મહાદેવ મંદીર અનિશ્ચિત સમય માટે શ્રધ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. મંદિરના ગાદીપતિ = વિધ્યાનંદાજી મહારાજે એક જાહેર નિવેદન કરીને જણાવ્યુ છે કે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે તમામ ભક્તોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

ProudOfGujarat

દાહોદ જિલ્લામાં પરીક્ષેત્ર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કર્મચારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!