Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…

Share

જંબુસર તાલુકાનાં અણખી ગામે બીડ વગો તથા ટીબી વગામાંથી પસાર થતી ઉચ્છદ માઇનોર કેનાલમાં લીકેજનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને અને અવરજવરનાં માર્ગો બંધ થતાં ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

નર્મદા નહેર વિભાગ દ્વારા જંબુસર તાલુકામાં બનાવવામાં આવેલી નહેરો તકલાદી અને લેવલ વગર બનાવવામાં આવી હોય ધરતીપુત્રો દ્વારા વખતો વખત બૂમો ઉઠવા પામતી હોય છે. નહેર વિભાગના અધિકારીઓની અણઆવડતને કારણે ધરતીપુત્રોના મોંઘા મોલ પાકને પારાવાર નુકશાન થતું હોય છે. જંબુસર તાલુકાનાં અણખી ગામના બીડ વગો અને ટીબી વગામાં આશરે ૬૦૦ એકર જમીન આવેલી છે જ્યાંથી ઉચ્છદ માઇનોર પસાર થાય છે જેનું તકલાદી અને લેવલ વગરની કામગીરીને કારણે નહેરમાં ઠેરઠેર તિરાડો પડી જવા પામી છે. તિરાડો પડવાને કારણે નહેરના પાણી આ વિસ્તારનાં ખેતરોમાં પાણી ભરાવા તથા ખેડુતોના અવરજવરના માર્ગે પણ પાણી ભરાઈ જતા ધરતીપુત્રોને પારાવાર નુકસાન પહોંચે છે. આ બાબતે આ વિસ્તારના ખેડૂતોએ નહેર ખાતાના અધિકારીને વારંવાર રજુઆત કરેલ ત્યારબાદ તિરાડો પર ઢંગધડા વગરના થીંગડા મારવામાં આવે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે, જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

દિવાળીની રજા દરમિયાન 108ના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી અનેક દર્દીઓને તબીબી સેવાઓ પુરી પાડી હોસ્પિટલ સુધી પહોંચડયા હતા.

ProudOfGujarat

ફેસબૂકના ગ્રુપમાં યુઝર્સની કોમેન્ટથી સમસ્ત માતાજીના ભક્તોની લાગણી દુભાઈ, જિલ્લામાં લાખ્ખોની સંખ્યામાં આસ્થાનું પ્રતીક માં મોગલ માતાજી વિરૃધ્ધ કોમેન્ટ થતા સિહોર ખાતે અસંખ્ય ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ProudOfGujarat

હવે ભરૂચમાં વિદ્યાર્થીઓ કરી શકશે MBBS.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!