Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેલિકોપ્ટર અકસ્માતમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન.

Share

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. બુધવારે તે જીવનની લડાઈ હારી ગયા. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ યુપીના દેવરિયાના ખોરમા કનહોલી ગામના રહેવાસી હતા. તેમની વેલિંગ્ટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બેંગ્લોર અને પુણેના ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા હતા. વરુણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનો બેચમેટ રહ્યા છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. બેંગલુરુની હોસ્પિટલમાં તેમણે આજે બપોરે પહોણા એક વાગ્યાની આસપાસ પોતાનો દેશ છોડી દીધો. બેંગલુરુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વરુણ સિંહને સારી સારવાર માટે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વા ની સનસનાટી ભેર થયેલ હત્યા જો કે ગણતરી ના સમયમા હત્યારો ઝડપાયો જાઈ તેવી સંભાવના

ProudOfGujarat

ભરૂચ : વ્હાલુ ગામની સીમમાં આધેડ વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

ભરૂચમાં ખાનગી શાળાની મનમાની : કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામાં ભુલકાંઓ બોલાવી જોખમ ઉભું કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!