Proud of Gujarat
GujaratFeaturedINDIA

પી.એમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં છોડયા ચિત્તા, 74 વર્ષ પછી જોવા મળશે ચિત્તાની રફ્તાર.

Share

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લવાયેલા ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છુટ્ટા મુક્યા. વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના કુનો-પાલપુર અભયારણ્યમાં બનેલા ક્વોરેન્ટાઇન વાડાઓમા 8 માંથી 3 ચિત્તાને મુક્ત કર્યા હતા. આ ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા.

આ સિવાય આજના દિવસે પીએમ મોદી સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી કુનો નેશનલ પાર્કમાં લગભગ અડધો કલાક રોકાશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતર્યું ત્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા.

Advertisement

જણાવી દઈએ કે નામિબિયાથી ચિત્તાને ખાસ પ્રકારના પાંજરામાં પૂરીને લાવવામાં આવ્યા હતા. ભારત સરકારે 1952 માં ચિત્તાને દેશમાં લુપ્ત પ્રાણી તરીકે જાહેર કર્યા હતા. સરકારે 1970 ના દાયકાની શરૂઆતમાં આ પ્રજાતિઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા અને આ વર્ષે 20 જુલાઈના રોજ નામિબિયા સાથે એક કરાર કરવામાં આવ્યો. ચિત્તા પ્રતિસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કરવા તેઓ ભારતને આઠ ચિત્તા આપી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા પિરામણ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા.

ProudOfGujarat

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી ગડખોલ પાટીયાથી ગોલ્ડાન બ્રિજ સુધી હરિયાળો પટ્ટો બનાવવાના પ્રોજેક્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રૂ. 47,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!