Proud of Gujarat
FeaturedGujarat

શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનને ગુરુ માનવામાં આવ્યા.જાણો એ ચાર સૂત્રો વિશે…

Share

|| શ્રી હનુમાન જયંતિ ||

હિન્દુ ધર્મમાં શ્રી હનુમાન અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે.એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનને ગુરુ માનવામાં આવ્યા છે.

Advertisement

આ ચાર સૂત્રો છે—
કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.

આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાન અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.
આ કારણે જ શ્રી હનુમાનની પૂજા-અર્ચના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનના લક્ષ્યો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના આ ચાર માર્ગોમાંથી કોઈ એકને પસંદ કરી કોઈપણ ભક્ત પોતાના ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ભક્તિના આ ચાર રસ્તાઓ પસંદ કરવા માટે કયા પ્રકારની ક્ષમતા જરૂરી છે? જેને સાંભળીને કોઈપણ ભક્ત ભક્તિનું સુખ અને આનંદની ઊંડાઈ સુધી ડુબી શકે છે.

જ્ઞાનમાર્ગ – વિદ્યા, વિચાર અને બૌદ્ધિક રીતે સક્ષમ ભક્ત માટે ભક્તિનો આ માર્ગ શ્રેષ્ઠ છે.

ઉપાસના – ભાવનાનું સ્તરે સબળ ભક્ત માટે ઉપાસનાનો રસ્તો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કર્મ – પુરુષાર્થ, પરિશ્રમના સ્તરે દ્રડ અને મજબૂત ભક્ત માટે કર્મ કે કર્મકાન્ડનો રસ્તો ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શરણાગતિ – જો કોઈ ભક્ત અન્ય ત્રણ રસ્તાઓને અપનાવવામાં અસહજ, અસક્ષમ મહેસૂસ કરવા લાગે ત્યારે તો ભક્તિનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. જે પ્રમાણે સમર્પણ અને શરણાગત થઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

આ ચારમાંથી ત્રણ સૂત્રોમાં સાધના મુખ્ય છે. જ્યારે ચોથા સૂત્રમાં ભગવત્કૃપા મુખ્ય છે. શ્રી હનુમાને ચારેયનો સુમેળ કરીને ભક્ત અને ભગવાનના સંબંધને પાવન-પવિત્ર અને શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે જ હનુમાનજીની પ્રસન્નતા માટે રામ અને રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિ ઉપર લોકજીવમાં ઊંડી આસ્થા છે.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કોરોના વાયરસનાં સાવચેતી પગલાં રૂપે ગ્રામપંચાયત વાંકલ દ્વારા બજાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!