Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

Share

દર વર્ષે હાંસોટ તાલુકાના માછીમારી કામ કરતાં યુવાનો પોરબંદર, માંગરોલ અને વેરાવળના દરિયામાં માછીમારી કરવા માટે વલસાડ અને નવસારી જિલ્લાના વહાણ માલીકો સાથે જતાં હોય છે. અને તે વૈશાખ મહિનામાં પોતાના માદરે વતન પાછાં ફરતાં હોય છે. પણ હાલમાં ચાલી રહેલાં મહામારી કોરોના વાઈરસને લીધે વહાણ માલિકોએ માછીમારીનો ધંધો બંધ થવાથી આજરોજ હાંસોટ તાલુકાના ઉત્રાજ 14 યુવાનો અને હાંસોટનો એક યુવાન ઘરે પરત ફરતા તેઓએ હાંસોટ તંત્રને જાણ કરતા હાંસોટ તંત્ર અને આરોગ્યની ટીમ સાથે પહોંચી જઇ આરોગ્યની ચકાસણી કરી તમામ 15 માછીમારોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. હાંસોટ તાલુકામાં કુલ 89 જેટલાં લોકો હોમ કોરોન્ટાઇન હેઠળ છે સદનસીબે કોઈ પણ કેસ પોઝીટીવ નોંધાયેલ ન હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઇન લઈ રહેલાં લોકોને ચૌદ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સખ્ત શબ્દોમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો થતો વ્યય.

ProudOfGujarat

આખરે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરાશે, 3 વર્ષ બાદ TET પરીક્ષાનું આયોજન કરાશે.

ProudOfGujarat

કમોસમી વરસાદે ખેડૂતોને મુકયા મુંઝવણમાં, સતત વરસાદી માહોલને લઇ ઠેર-ઠેર પડી રહી છે હાલાકી..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!