Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં ગરીબી એટલે આર્થિક નબળો વર્ગ નહીં ? પરંતુ વ્યક્તિગત જીવનનો થશે અભ્યાસ…જાણો વધુ…???

Share

* હવે ગરીબી હેઠળ જીવતા પરિવારોના લિવિંગ સ્ટાન્ડર્ડ તપાસવામાં આવશે

* ગરીબી માત્ર આર્થિક ધારાધોરણો હેઠળ નહીં ? પરંતુ વ્યક્તિની જીવનશૈલી પર નક્કી થશે

Advertisement

* આગામી સમયમાં ભારતે ગરીબી નાથવા રોજગારી પણ ઉભી કરવી પડશે

આગામી સમયમાં પૈસાથી નહિ પરંતુ જીવન કેવું જીવાય છે તેના પરથી ગરીબી રેખા નક્કી કરવામાં આવશે સમય, સ્થિતિ ,સમય, કાળ ક્યારેય કાયમી રહેતા નથી રૂપિયા જ બધું છે તે હવેના સમયમાં આવું કહેનારા ચેતી જજો. જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે. સમાજમાં રહેવા માટે રીતરિવાજ સમયાંતરે બદલાતાં રહે છે. પ્રથા અને માન્યતામાં પણ સુધારો થતો હોય છે. આથી ભારત સરકાર દ્વારા ગરીબી રેખાના ધોરણ માં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ગરીબી નક્કી કરવા વ્યક્તિગત આવકના આધારે નહીં પરંતુ વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડ ને ધ્યાનમાં રાખીને ગરીબી રેખા હેઠળ આ પરિવાર આવે છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર સરકારી રાહે ગરીબીના માપદંડો બદલાઈ રહ્યા છે. ભારતીય સામાજિક વ્યવસ્થા અને સરકારી ધોરણે ગરીબીની રેખા ની વ્યાખ્યા હવે માત્ર પૈસા અને આવકના સ્ત્રોત ઉપર જ નહીં નક્કી થાય પરંતુ ગરીબીની રેખા નક્કી કરવા માટે ઘર શિક્ષણ સેનેટાઈઝર શૌચાલય અને અન્ય સવલતો નો પણ ગરીબી રેખા નક્કી કરવા માટે ધ્યાને લેવામાં આવશે તેવું કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોના એ કેટલીક મહત્વની બાબતો જણાવી છે. જેમાં હેલ્થ કેર શિક્ષણ અને જાગૃતિ પૂરતુ પાણી સેનિટાઇઝર પોષણયુક્ત આહાર જીવનશૈલી વગેરે બાબતો ધ્યાનમાં આવતા ગરીબીના સરકારી રાહે માપદંડો બદલાઈ રહ્યા છે.ગરીબી એટલે રૂપિયાથી નબળો વર્ગ નહીં પરંતુ તેની જીવનશૈલી પણ જોવામાં આવશે ગરીબી રેખાની અંદર વાર્ષિક વૃદ્ધિદર ને પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને વૈશ્વિક સ્તરે પણ ભારતે ગરીબીને નાથવા માટે નવી રોજગારીનું સર્જન પણ કરવાનું રહેશે. આગામી સમયમાં ગરીબી એટલે માત્ર આર્થિક પાસા પર જ નહીં પરંતુ અહીં જીવનશૈલીને લગતા તમામ નિયમો ને ધ્યાનમાં રાખવામાં આવશે વ્યક્તિગત રીતે નહિ પરંતુ પરિવાર ની રહેણીકરણી વગેરેનો એક અભ્યાસ કર્યા બાદ ગરીબીના ધોરણો નક્કી કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

ProudOfGujarat

ભરૂચના વાગરા દહેજ વિસ્તારમાં આવેલ ઉધોગો દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહી આપતા આજે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારી આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

લીંબડી ખાતે ઓરી-રૂબેલા રસીના રસીકરણનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!