Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

Share

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ કેસમાં આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટના પડતર કેસોમાં ઝડપી ન્યાય આપવામાં આવશે. નવી વ્યવસ્થાથી હાઈકોર્ટમાં વર્ષોથી પડતર કેસોમાં ઝડપી નિર્ણય થવાની આશા છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સ્થાયી સમિતિના ન્યાયાધીશોએ મંજૂરી આપી હતી.

Advertisement

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટમાં પડતર કેસોની સુનાવણી ઝડપી બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં પાંચથી દસ વર્ષ કે તેથી વધુ જૂના કેસોમાં 57 દિવસમાં ન્યાય આપવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે 13,998 કેસનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધી તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય આવશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં પણ નવો પ્રયોગ કરવામાં આવશે. રાજ્યના વકીલોને ઈ-મેલ દ્વારા તારીખ મળશે. આ પ્રયોગ અમલમાં આવશે. આ વ્યવસાય 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

ઝડપી કેસો માટે સિસ્ટમ જનરેટેડ નેક્સ્ટ લિસ્ટિંગ ડેટ ઓનલાઈન પદ્ધતિને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટની સ્થાયી સમિતિના ન્યાયાધીશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલના જણાવ્યા અનુસાર, જો કેસમાં આગામી તારીખ નોંધાઈ ન હોય તો પણ સિસ્ટમ આપોઆપ કેસની યાદી માટે તારીખ ફાળવશે. એટલું જ નહીં, હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા માટે, 10 વર્ષથી જૂના કેસો, 5-10 વર્ષથી જૂના કેસો અને પાંચ વર્ષથી જૂના કેસો વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા છે.


Share

Related posts

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર કરાયો.

ProudOfGujarat

લીંબડીમાં ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!