Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત અનુસુચિત જાતી (SC) નાં વિદ્યાર્થીઓને ધો. ૧૧ માં વિના મૂલ્યે પ્રવેશ મેળવવાની તક મળશે…

Share

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા એસ્પિરેશનલ જીલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનુસુચિત જાતિ (SC) ના બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ વર્ષ-૨૦૨૧-૨૨ થી પ્રવેશ મેળવવા માટેની યોજના અમલમાં મુકનાર છે, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ-૧૧ (SC) ના બાળકો માટે રૂા. ૧.૨૫ લાખની મર્યાદામાં શાળાને શિક્ષણ ફી તથા રહેવા તથા જમવા માટેની સુવિધા સાથે ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવશે, આ યોજના માટે તમામ પ્રકારની નિવાસી શાળાઓ પસંદ કરવામાં આવેલ છે અને વિના મૂલ્યે પ્રવેશ માટે ધોરણ-૯ અને ધોરણ-૧૦ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રૂમ નંબર-૧૬, જીલ્લા સેવા સદન, નર્મદા તથા નર્મદા જીલ્લાની માધ્યમિક અને ઉ.મા. શાળાઓ પાસેથી મેળવી શકાશે. આવેદનપત્ર ભરવાની છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૧ (ગુરુવાર) છે. આ આવેદનપત્ર ઉપરોક્ત પૈકી કોઈ પણ કચેરી/શાળામાં જમા કરાવી શકાશે.સંભવિત પ્રવેશ પરીક્ષાની તા.૧૭/૦૬/૨૦૨૧ (ગુરૂવાર) ના રોજ સરકારી હાઇસ્કૂલ રાજપીપલા ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે રાખવામાં આવેલ છે, જેની નોંધ લેવા જીલ્લા શિક્ષણાધિકારીશ નર્મદા-રાજપીપલા તરફથ જણાવાયું છે

Advertisement

Share

Related posts

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

વલસાડની સિંગર વૈશાલી હત્યા કેસમાં પોલીસે પંજાબના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની કરાઇ ધરપકડ.

ProudOfGujarat

નેત્રંગ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પર્યાવરણલક્ષી સ્લોગન ચિત્ર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!