Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21 મી જુલાઇએ થશે સુનાવણી

Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 21 જુલાઈએ સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનો સિલસિલો યથાવત : તંત્રએ હાથ ઊંચા કર્યા હોવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાનાં કોલીયાદ ગામની સીમમાં ચાલતા માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ, ભૂસ્તર વિભાગે દરોડા પાડી કરી કાર્યવાહી..!!

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!