Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

Share

વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક એક પછી એક થઈ રહી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં 50 ટકા જેટલા પાણીની આવક થઈ ચૂકી છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે નવા નીરની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.

207 ડેમોમાં 45 ટકાથી વધુ પાણી, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 49 ટકા કરતા વધુ પાણી, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 29 ટકા કરતા વધુ પાણી, દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 35 ટકા કરતા વધુ પાણી, કચ્છના 20 ડેમમાં 50 ટકા કરતા વધુ પાણી, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 49 ટકા પાણી, સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક

Advertisement

રાજ્યમાં જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે જ્યાંથી ગુજરાતના વિવિધ ભાગોમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. નર્મદા કેનાલની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે અને આવક રળે છે ત્યારે જીવાદોરી સરદાર સરોવર ડેમ પણ 56 ટકા ભરાયો છે. ત્યારે વધુ આ ડેમમાં પાણીની આવક થઈ શકે છે. જોકે બીજી તરફ ચોમાસાની આ શરુઆત છે અને નવા નીરની આવક અત્યારથી જ થઈ રહી છે. ડેમો એક પછી એક છલકાતા ઉનાળામાં પાણીના પ્રશ્નો પણ નહીં રહે.


Share

Related posts

ભરૂચ : નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ, ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કં. લિ. દ્વારા 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની જાહેરાત.

ProudOfGujarat

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!