Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પર બિપરજોય વાવાઝોડું સંકટ ટાળવા દ્વારકાધીશ મંદિરે એક સાથે ચઢાવાઈ 2 ધજા

Share

ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. રાજ્યના તમામ દરિયાકાંઠાઓના વિસ્તારો હાઈએલર્ટ પર મુકાયા છે, તો વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, ત્યારે વાવાઝોડા પહેલા દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશના જગત મંદિર પર ફરી એકવાર બે ધજા ફરકાવાઈ છે.

આજે સવારે દ્વારકા ઝડપી પવન ફુંકાયો હતો, જેના કારણે દ્વારકા મંદિરે 2 ધજા ફરકાવવાનું ટાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર પર ફરી 2 ધજા ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી છે. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાનો ખતોર મંડરાયો હતો, તે વખતે પણ આવી જ રીતે મંદિર પર બે ધજા ફરકાવાઈ હતી. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાની ખતરાની ઘંટી વાગ્યા બાદ દ્વારકાધીશના મંદિરે 2 ધજા ફરકાયા બાદ તાઉતે વાવાઝોડનું સંકટ ઘટ્યું હતું. આમ ફરી એકવાર દ્વારકાધીશમાં આસ્થા રાખીને એક સાથે 2 ધજા ફરકાવવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

ઉલ્લેખનિય છે કે, રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ સહિત વિવિધ જિલ્લાના વહિવટીતંત્રો દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજ્યના દરિયા કિનારા પર બિપરજોય વાવાઝોડું વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરાયા બાદ 9 અને 10 નંબરના સિગ્નલ લગાવાયા છે. ઓખા, કંડલા, માંડવી અને નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.


Share

Related posts

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

નડિયાદના હિન્દુ અનાથ આશ્રમમાં ૫૬૩ મી આશ્રીત દિકરીના લગ્ન યોજાયા

ProudOfGujarat

સુરતનાં સચીન જીઆઈડીસીમાં કન્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!