Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 12 સંસ્કૃતનું પેપર આ તારીખે ફરીથી લેવાશે.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12 ની પરીક્ષામાં સંસ્કૃતના પેપરમાં જૂના કોર્સમાંથી પ્રશ્નો પૂછાયા હતા. હવે આ પેપર ફરીવાર લેવામાં આવશે. આ પેપર આગામી 29 મી તારીખે લેવાશે તેમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષમાં ગત 20 મી તારીખે સંસ્કૃત વિષયના પેપરમાં 90 ટકા જેટલા પ્રશ્નો જુના કોર્સમાંથી પૂછવામાં આવ્યા હતા. કોર્સ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે વાલીઓ દ્વારા આ પેપર ફરીથી લેવા બોર્ડ મેમ્બરોને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર આગામી 29 મી તારીખે લેવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

Share

Related posts

ડાકોરમાં રણછોડરાયજી મંદિરની બહાર રસ્તામાં કાદવ કીચડના સામ્રાજ્યથી દર્શનાર્થીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા જોગ.

ProudOfGujarat

દેડીયાપાડાનાં ગુલ્ટાચામ ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!