Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા : સોમનાથ, સાળંગપુર મંદિરમાં તિરંગાનો અદભુત શણગાર

Share

આજે સમગ્ર ભારત દેશ 74 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં દેશભક્તિ સાથે સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

આજે 74 મો ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. તો આ બાજુ સૌરાષ્ટના સોમનાથ મહાદેવ મંદિર આજે દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અને સિંહાસનને પણ કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. જે પછી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. તેમજ દેવાધી દેવ સોમનાથ મહાદેવનો પણ તિરંગી શણગારની ઝલક જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

વાલિયા પોલીસે ગુંદિયા ગામમાંથી અખાદ્ય ગોળ અને દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા સામગ્રી સહીત રૂપિયા 5 લાખ 63,200નો મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસયરની કાર્યવાહી હાથ ધરી છે 

ProudOfGujarat

કોના સીરે ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખનો તાજ, ત્રણ મહિલાઓ છે રેસમાં…

ProudOfGujarat

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!