Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય વનસંરક્ષક કર્મચારીઓ શા માટે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ?

Share

રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો. જોકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહિ લવાતા તા. 29 મી થી રાજ્યવ્યાપી હડતાળની ઘોષણા કરાઈ છે. ગુજરાત રાજ્ય વન કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ ગ્રેડ પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ હતી.

રાજ્ય સરકારે વન વિભાગના વનરક્ષક અને વનપાલના વર્ષો જુના પડતર પ્રશ્નો નિવારવાની ખાતરી આપી હતી. જોકે તેનું નિરાકરણ નહિ આવતા અગાઉની જાહેરાત મુજબ 28 ઓગસ્ટથી રાજ્યભરના વન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવા મક્કમ બન્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં પણ વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 500 થી વધુ કર્મચારીઓએ આજે મંગળવારે નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે ભેગા થઈ ડી.એફ.સી. અને એ.સી.એફ. ને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના પણ તમામ વન કર્મચારીઓ રાજ્યના કર્મચારીઓ સાથે 29 ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાળ ઉપર ઉતરી તમામ કામગીરીથી અળગા રહેશે તેવી જાહેરાત કરી છે.


Share

Related posts

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ગુજરાતમાં વ્યાજખોરો સામે કુલ 847 ફરિયાદ દાખલ, 1039 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!