Proud of Gujarat
FeaturedGujaratINDIA

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ : વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી બંધ રખાયું હોવાની ચર્ચા.

Share

રાજ્યના શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે.

જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ ‘મમતા દિવસ’ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ, બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય.

Advertisement

કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે, પરંતુ એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં 400 જેટલાં રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.


Share

Related posts

ઝધડીયા : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક બળાત્કાર કરનારને સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

ભરૂચ – LCB પૉલિસ દ્વારા સી ડીવીઝન પૉલિશ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો , બે આરોપીની કરી અટકાયત ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!