Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ટ્રેન સળગાવનાર આરોપીને સુપ્રીમ કોર્ટેથી મળ્યા જામીન, 17 વર્ષથી હતો જેલમાં કેદ

Share

2002 ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે તે જોતા કોર્ટે આ જામીન મંજૂર કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિતોમાંથી એક ફારુક તરફથી હાજર રહેલા વકીલની દલીલ પર ધ્યાન આપ્યું કે તેને આજ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે. જણાવી દઈએ કે આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરુદ્ધ અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે. ફારૂક સહિત અન્ય કેટલાકને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

Advertisement

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો છે. જો કે, આ કિસ્સામાં, મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનના કોચને બોલ્ટ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત ફાયર ટેન્ડરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

27 ફેબ્રુઆરી, 2002 ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લગાવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, જેના કારણે આખા રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.


Share

Related posts

ભરૂચ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સબજેલમાં સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરત ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat

સુરત પાલિકા દ્વારા ભગવાનના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!