Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે આવેલ સિંદુરીમાતા મંદિર છકડાવાસ વિસ્તારમાં આવેલ એમ.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વીજ થાંભલામાં પાયાના ભાગમાં મોટી તિરાડો નજરે પડી રહી છે.

આ થાંભલો રસ્તાની બાજુએ હોવાથી રસ્તા પરથી પસાર થનાર લોકોના જીવ જોખમ પડી રહ્યા છે ત્યાના સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર એમ.જી.વી.સી.એલ ની ઓફિસમાં ફરિયાદ કરવા છતાય તે અંગે વીજ કચેરીના કર્મચારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.

તે વિસ્તારના જાગૃત નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે આ થાંભલો ઘણા સમયથી આવી જર્જરિત હાલતમાં છે ત્યાં થાંભલાની આજુબાજુ રસ્તા આવેલ ત્યાં લોકો અવરજવર કરે છે તો તે લોકોને વીજ કરંટ લાગવાનો ભય રહ્યો છે અને આ થાંભલાના નીચેના ભાગમાં મોટી તિરાડો હોવાથી આ થાંભલો ધરાસાઇ પણ થઇ શકે છે જેથી તે વિસ્તામાં વસવાટ કરતા લોકોને જાન માલ અને મિલકતોને નુકશાન થઇ શકે છે તેથી ત્યાના નાગરિકો દ્વારા એમ.જી.વી.સી.એલ ને લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાય તે વીજ થાંભલા વિષે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેથી ત્યાના નાગરિકો એમ.જી.વી.સી.એલ ના અધિકારીઓને વિનંતી કરી રહ્યા છે કે આ વીજ થાંભલાનો નિકાલ ઝડપી લાવે. યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

દ્વારકા કલ્યાણપુરના ભોગાત નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત-૧૦ લોકો ઇજાગ્રસ્ત …

ProudOfGujarat

ભરૂચમાં ટંકારીયા સ્પોર્ટસ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન ટીમે 162 રને મેળવ્યો વિજય.

ProudOfGujarat

સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનનું અવસાન થતાં જીઆરડી ના જવાનોએ ફાળો એકત્રિત કરી સદગતની પત્નિને સહાયની રકમ અર્પણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!