Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં સારા રોડ ઉપર ગેરરીતી રૂપ થઇ રહેલા રીસરફેસિંગના વિરોધમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ભુરાવાવ વિસ્તાર પાસે આવેલ યોગેશ્વર સોસાયટીના પાકા સિમેન્ટવાળા રસ્તા પર ગોધરા નગરપાલિકા દ્વારા ડામરનું રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં ત્યાના જાગૃત નાગરિકો દ્વારા તે કામનું વિરોધ કરતા પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું હતું.

યોગેશ્વર સોસાયટી ખાતે બનાવેલ રોડ સારી હાલતમાં હોવા છતાય તે રોડ પર ડામરનો થર લગાવી રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તે રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરતો હોય તેવી વાત ત્યાના રહીશો દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

વધુમાં યોગેશ્વર સોસાયટીના રહીશ સૈલેશ ઠાકરે જણાવ્યું હતુ કે યોગેશ્વર સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ત્યાં ચોમાસાની ઋતુમાં રસ્તા પર અને ઘરોમાં પાણી ભરવાના બનાવો બને છે તેનું મુખ્ય કારણ છે કે રસ્તાની લેવલ ઘરોની લેવલ કરતા ઉચી થઇ રહી છે તેના તેથી ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ભારાય છે અને લોકો હેરાન થાય છે. નવા બનેલ આર.સી.સી. રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩” ના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રિઝવીનાં પૂતળાનું દહન કરાયુ તેમજ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!