Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : વિશ્વશાંતિ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞનુ આયોજન કરાયુ.

Share

વિશ્વના કલ્યાણ માટે સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને જગતભરમાંથી કોરોના મહામારી નાબૂદી થાય તે માટે ગોધરાના એસ્ટેટ બ્રોકર જગતભાઈ સોની તથા મહિલા અગ્રણી કાર્યકર દેવિકાબેન સોનીના નિવાસ્થાને વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યાજી મુંબઈ વાળાના સાનિધ્યમાં સંગીત સભર શૈલીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા સ્વજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યાજી નવચંડી યજ્ઞ વિશે માહિતી આપતા જણાવ્યું કે આધુનિક યુગમાં શક્તિપૂજાની જરૂર છે. માં મહાકાળી, મા લક્ષ્મીજી અને માં સરસ્વતીની ઉપાસના મહાકાળી માં શક્તિ મા લક્ષ્મીજી સંપત્તિ અને માં સરસ્વતી જ્ઞાનની દેવી છે. આ ત્રણેયનો સંયોગ અને ઉપાસનાથી નવચંડી યજ્ઞ થાય છે. સો શ્લોકવાળા 10 ભાગમાંથી એક ભાગની આહુતિ અપાય એ નવચંડી યજ્ઞ ગણાય. ગોધરાના નગરજનોનું આરોગ્ય તંદુરસ્ત રહે શહેરમા શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે એવા આશિર્વચન પાઠવ્યા હતા.

પંચમહાલ ગોધરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ કસક ગરનાળાને પહોળુ કરવામાં કસક વિસ્તારનાં સ્થાનિકોનો વિરોધ : કોંગ્રેસ અગ્રણીઓ પણ હાજર.

ProudOfGujarat

સુરતના સિંગણપુરનું માર્કેટ સીલ કરતા પાથરણાવાળાઓની આત્મવિલોપનની ચીમકી.

ProudOfGujarat

મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!