Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

Share

ગોધરા નગરપાલિકાના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઇજનેર આવેદનપત્ર આપવામાં આવ્યુ છે જેમા જણાવામા આવ્યુ છે જુના પાવર હાઉસ સામે તિરગરવાસમાં અશોકભાઈ રતિલાલ પરમારના મકાન આગળ વીજ કનેક્શન સાથે વીજ થાંભલો આવેલ છે. જે થાંભલો નમી ગયેલ છે. જે સ્થાનિક લોકો માટે જોખમકારક છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન વાવાઝોડું કે ધોધમાર વરસાદ આવે તો ગમે ત્યારે આ મકાન પર નમી ગયેલ વીજ થાંભલો પડી જાય તેમ છે જેના કારણે આજુબાજુના રહીશો માટે જોખમકારક છે અને અહીં રહેતા સ્થાનિક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને રહે છે તો કોઇ ઘટના ન બને તે પહેલા મકાન પર નમી ગયેલ થાંભલો વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા માટે આવેદનપત્ર એમજીવીસીએલના નાયબ ઇજનેર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

ગોધરા LCBએ હત્યાના આરોપીએ ઝડપી પાડયો પ્રેમપ્રકરણમા હત્યા કરી હોવાની વિગતો બહાર આવી

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે.આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!