Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામમા છેલ્લા ડોઢ મહિનાથી વિજ પુરવઠો બંધ છે ચોમાસાની ઋતુ અને વિજળી ન હોવાથી ગ્રામજનોને રાત્રે અંધારામાં સરીસૃપ અને ઝેરી જનાવર કરડી જવાનો ભય સતાવી રહ્યો છે જ્યારે પશુ પાલકો પશુઓને પાણી પીવડાવવા માટે દુર તળાવ સુધી જવુ પડે છે. પશુઓને સમય પર પાણી ન મળતા પશુધનના આરોગ્ય અને દુધ પર અસર પડી છે જ્યારે ખેડૂતોને ડાંગરના ધરૂ અને ખેતી પાણી ન હોવાથી સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વારંવાર મૌખિક અને ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો વિજ કચેરીએ પહોંચી વહેલી તકે વિજ પુરવઠો શરૂ થાય તેવી માંગણી સાથે અધિક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો વિજ પુરવઠો સમયસર શરૂ કરવામાં નહી આવે તો કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમેરિકાથી લાયલ સ્ટાબના નેતૃત્વમાં અમેરીકાના નાગરિકોએ મુલાકાત લીધી

ProudOfGujarat

અમદાવાદ RTO માં ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ ઈશ્યુ કરવાના ગુનામાં ત્રણની ધરપકડ

ProudOfGujarat

સોમનાથ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે, જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!