Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સી.કે.રાઉલજીની આગેવાની હેઠળ ઓરવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વીર શહિદ સુનિલભાઈના સ્મારક તથા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .રોટરી કલબ ગોધરા અને બીલે ફાઉન્ડેશનના સહયોગ સાથે ગામમાં દરેક ઘરે જામફળ અને અન્ય આવક આપતા છોડનું રોપણ કરવામાં આવેલ હતું અને ભવિષ્યમાં આ રોપાઓથી ગ્રામજનોને રોકડી આવક મળશે અને પર્યાવરણ શુદ્ધ થશે.

ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યુ હતુ. વૃક્ષોનું વાવેતર આપણી સૌની જવાબદારી છે.પર્યાવરણનું જતન એ આપણી સૌની મુખ્ય ફરજ છે. પર્યાવરણનું સંવર્ધન અને સરંક્ષણની જવાબદારી સ્વીકારવાના નમ્ર નિવેદન સાથે સૌને વિશ્વ પર્યાવરણ દિનની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પંચમહાલ અરવિદ સિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ રમણભાઈ ડામોર જિલ્લા પંચાય સદસ્ય, ભૂપતસિંહ બારીયા માજી તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરા એમ.એસ યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

દામાવાવ પોલિસ સ્ટેશન કર્મીઓ દ્વારા જરૂરિયાતમંદોને 200 રાશનકીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકા મથકે કોવિડ-19 અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!