Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

Share

પંચમહાલ જીલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરી ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરી છે. જે પંચમહાલ, મહિસાગર, દાહોદ જીલ્લાના પશુપાલકો માટે આર્શિવાદ સમાન છે. આજે સોમવારના રોજ પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે. ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેનએ પણ તેમને શુભકામના પાઠવી હતી.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : તવરાના પેટ્રોલ પંપ પર બાઇક સવારે પેટ્રોલ પંપનાં કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

ProudOfGujarat

ભરૂચ દાંડિયા બજાર દશાશ્વમેઘ ઓવરે પાણીમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા : બેન્ક ઓફ ઈન્ડિયાના ૧૧૭ માં સ્થાપના દિવસની ઉમલ્લા ખાતે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!