Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા પરવડી પાજરાપોળ ખાતે શ્રમજીવી મજૂરોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે પરવડી ગામ ખાતે આવેલી જીવદયા પાજરાપોળના પ્રમુખ જયંતિભાઇ શેઠ દ્વારા લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામા આવી રહ્યું છે,હાલ લોકડાઉન હોવાને કારણે શ્રમજીવી વર્ગની હાલત કફોડી બની છે.ત્યારે પરવડી પાસે અવરજવર કરતા શ્રમજીવી અને તેમના બાળકોને માટે નાસ્તા પાણી જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામા આવી છે. હાલ લોકડાઉનને કારણે ગુજરાતમાં મજુરી કામ કરતા શ્રમજીવીઓ પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે.અહીઁ રાજકોટથી નિકળેલા મજૂરોના ગ્રુપે થોડાક સમય માટે આસરો લીધો હતો.જેમને સંસ્થા દ્વારા ફળફળાદી પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી. આ મજૂરો રાજકોટથી ઉત્તર પ્રદેશના બાંદ્રા ચાલતા જવા નીકળ્યા હતા. ગોધરા શહેરથી પસાર થતો ઇન્દોર-અમદાવાદ હાઇવે માર્ગ મધ્યપ્રદેશને જોડતો હોઈ અહી અન્ય રાજ્યોના પરપ્રાંતિયો ચાલતા જ પોતાના માદરે વતન જઇ રહ્યા છે.ત્યારે રસ્તામાં આવી સેવાભાવી સંસ્થાઓ મદદરુપ બની રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેરના ગુનામા નાસતો ફરતો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો.

ProudOfGujarat

મહેશબાબુના ચાહકે પોતાના પુત્રનું નામ રાખ્યું મહેશબાબુ !

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!