Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એપીએમસી માર્કેટ ખાતે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૨૩ જેટલી નોંધાઈ છે. હાલમા તંત્ર દ્વારા પણ શરતી છુટછાટ દુકાનદારોને આપવામાં આવી છે.પોલીસ વિભાગ પણ લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે.ગોધરામાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે કોરોના વાયરસનું સંક્રમણનો ભોગ ખેડૂતો અને વેપારીઓ ન બને તે માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી છે. ગોધરામાં આવેલું ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં વેપારીઓ અને ખેડૂત સહિત લોકો આવતા હોય છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.તેના સંક્રમણથી બચવા સતર્કતા ઉપાય છે.ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે ખેડૂતો, વેપારીઓ અને યાર્ડમાં આવતા તમામ લોકો માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવ્યું છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોને હેન્ડ સેનેટાઝર પણ આપવામાં આવ્યા છે.સાથે યાર્ડમાં માસ્ક પહેરીને આવવાનું સૂચન તેમજ સામાજિક અંતર રાખી વેપારના વ્યવહારો કરવા માટે ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં મહાનગરપાલિકા એ શરૂ કયો કોવિડ કેર હેલ્થ કેર સેન્ટર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બપોર સુધી બન્યા ચાર આકસ્મિક બનાવમાં ચાર ઘાયલ, જાણો ક્યાં ક્યાં બન્યા બનાવો…!!

ProudOfGujarat

*એક રૂપિયો સહાય નહિ આવે અમને ખબર છે* ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તથા ભાજપના આગેવાનો અને સ્થાનિક પ્રશાસન સામે પ્રજાનો આક્રોશ….ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં મંત્રીનો ઘેરાવો કરી આક્રોશ ઠાલવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!