Proud of Gujarat
GujaratFeaturedINDIA

લખતર લખતર તાવી રોડ અત્યંત બિસ્માર હાલત માં હોય લોકોને પડતી હાલાકી

Share

સુરેન્દ્રનગર લખતર
તારીખ 29/9/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

અધૂરામાં પૂરું ભૈરવપરા પાસે અત્યંત ખરાબ હાલત અને કચરા ના ઢગલા અને રોડ પર દબાણને લઈ સ્થાનિક લોકો પરેશાન

લોકો કુદરતી હાજતે રોડ પર જતાં હોય વાહન ચાલકો પરેશાન

લખતર થી તાવી જતો રોડ અત્યંત ખરાબ હાલત માં છે આ રોડ પર 1ફૂટ થી 2 ફૂટ જેટલા ખાડા છે જેથી લખતર આવતા વિદ્યાર્થીઓ સરકારી કામે આવતા લોકો અને બહાર ગામ જતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લખતર ગામની નજીક આવતા આવેલ ભૈરવપરા ના લોકોને ગામમાં જવા માટે અને ભૈરવપરા ની બહેનો ને આ રસ્તો પાર કરી અડધો કિલોમીટર દૂર બાપાના કૂવે પાણી ભરવા જવું પડે છે જ્યાં તેમને લખતર અમદાવાદ હાઇવે ક્રોસ કરીને જવું પડતુ હોય ભારે તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ થી ઇન્દિરા આવાસ યોજના ના મકાનો સુધી લોકો દ્વારા રોડ સુધી દબાણ કરી રોડની બન્ને સાઈડ માં લાકડા અને અન્ય વસ્તુઓ અને કચરાના ઢગલા ખડકી દેતા પાણી ભરનારી મહિલાઓ અને વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તો શું લખતર નું સ્થાનિક તંત્ર અને માર્ગ અને મકાન વિભાગનું સ્થાનિક અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર કુંભકર્ણનિદ્રા માંથી જાગી લોકોને પડતી મુશ્કેલી માંથી છોડાવશે
તેવી સ્થાનિક લોકોની લાગણી અને માગણી છે.


Share

Related posts

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.

ProudOfGujarat

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, 100 શહેરોને PM ઈ-બસ સેવા હેઠળ મળશે 10 હજાર બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!