Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરશે.

Share

સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલના જણાવ્યુ અનુસાર વકીલો સવારે 11 કલાકે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કરશે. ઉપરાંત દિવસભર વકીલો લાલપટ્ટી ધારણ કરશે. દિલ્હીની તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરાયો હતો જેમાં એક વકીલને ગોળી વાગી હતી. ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કાઉન્સિલે કહ્યું કે, ગુંડાગર્દી કરનારા વકીલોની ઓળખાણ કરવામાં આવે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 8 થઈ, સક્રિય કેસોની સંખ્યા 6

ProudOfGujarat

નડિયાદ : ટેકનોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રચાર કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!