Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

Share

કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ મોત નીપજયા હતા. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તા. 22/8/2020 ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલીગ ટાવરમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ બનાવનાં પગલે નાસભાગ મચી ગઈ હતી. હાલ મળતી માહીતી મુજબ કોઈ નુકશાન થયેલ નથી મરીન પોલીસ દહેજ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા પાસેથી ઓટોરીક્ષા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

ભરૂચ : બુટલેગર દ્વારા પોલીસ ધરપકડથી બચવા ફિલ્મી સ્ટાઇલથી કાર રિવર્સ લઈ પોલીસ કર્મીને કચડી નાંખવાનો પ્રયાસ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાળો બોલી ચીચીયારીઓ પાડવાનું ના કહેનાર ઇસમ પર હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!