Proud of Gujarat
INDIAFeaturedGujarat

દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત.

Share

ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓનાં નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડતી થઈ છે અને તેના કારણે હવે નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જેમાં આજે વાગરા તાલુકાનાં જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી. જેની જાણ આજુબાજુનાં ગ્રામજનો થતાં જેમાં પણ માછીમાર સમાજને થતા તેઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી અને નમૂના લેવાની માંગણી કરી હતી. સાથે સાથે તેમણે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવતા આ પાણી નર્મદા નદીમાં પડતાં તેના કારણે આ માછલીઓનાં મોત થયા છે. જ્યારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ જે માછીમારો નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

અંકલેશ્વર: ત્રણ રસ્તા વિસ્તાર નજીક એકાએક મોટું વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

વિડીયોકોન ઇન્દ્રસ્ટ્રીઝ લી ભરૂચ દ્વારા કામદારોના બાકી પગાર.બાકી બોનસ તથા બાકી લેણા ની ચુકવણી ન કરવામાં આવતા કંપની ગેટ ઉપર ગુજરાત કામદાર સમાજ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!