Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

Share

વિશ્વભરમાં આજે ફેલાયેલા કોરોના નામનો વાયરસથી સમગ્ર દેશો ચિંતિત છે. ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ચોટીલા પ્રાંત કચેરી ખાતે તા.17 માર્ચને મંગળવારે તાલુકાના તમામ ધાર્મિક સ્થળોના સંતો-મહંતો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક બોલાવી હતી. જેમાં સ્વૈછીક રીતે ધાર્મિક સ્થળો બંધ રાખવા માટે અપીલ કરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરાના વાઇરસને લઇને સાવચેતીના પગલા રૂપે ચોટીલા પંથકના ધાર્મિક સ્થળો બાબતે આયોજન કરાયુ હતુ. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ તા.17-3-2020ના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ ધાર્મિક સ્થળો માટે બેઠક બોલાવાઈ હતી. જેમાં દરેક પોતાના ધાર્મિક સ્થળો તા.18 થી 29 માર્ચ-2020 સુધી બંધ રાખવા માટે નિર્ણય કર્યો હતો. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સરકાર તેમજ અમોને ચિંતા રહેતી હોવાથી સરકારના આ નિર્ણયને માન આપી તા.18-3-2020 થી તા.29-3-2020 સુધી મંદિર બંધ રહશે એમ ચામુંડા માતાજી મંદિર ડુંગરના મહંત અમૃતગિરિ બાપુએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ નરસંહારની માહિતી લેવા જતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતા ભરૂચ ખાતે તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલમાં કડીવાલા ઘાંચી સમાજ ટ્રસ્ટ દ્વારા રોજગાર યોજના હેઠળ સહાય યોજના તેમજ વડીલોનું સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : તરસાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 30 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!